રોહિત શર્મા લઈ શકે છે મોટો નિર્ણય, ટીમ ઈન્ડિયાના શ્રેષ્ઠ ભવિષ્ય માટે ઉઠાવી શકે છે મોટું પગલું

By: nationgujarat
23 Nov, 2023

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ હવે આગામી ટૂર્નામેન્ટ અને સિરીઝને લઈ તૈયારીઓનુ પ્લાનીંગ કરી રહ્યા છે. આ દરમિયાન તમને રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓને લઈ સવાલો થતા હશે. વિશ્વકપ સમાપ્ત થઈ ગયો છે હવે આ સિનિયર ખેલાડીઓ પોતાના કરિયરને લઈ કેવા પ્રકારનુ પ્લાનીંગ કરતા હશે. હવે આગળ તેમનો ગોલ શું હશે અને તેને પુરો કરવા માટે કેવા નિર્ણયો લેશે.

હાલમાં જ સામે આવી રહેલા રિપોર્ટસ મુજબ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા મોટુ પ્લાનીંગ કરી રહ્યો છે. જો આ વાત સાચી હશે તો એ ચોંકાવનારી પણ હશે. તે વ્હાઈટ બોલ ક્રિકેટ ફોર્મેટને લઈ પોતાન કરિયરને લઈ મોટો નિર્ણય લઈ શકે છે. કહેવામાં આવી રહ્યુ છે તે, તેણે પોતાના પ્લાનીંગ વિશે ભારતીય ક્રિકેટ બોર્ડની સાથે પણ ચર્ચા કરી લીધી છે. બસ હવે માત્ર અધિકૃત રીતે આ જાણકારી દુનિયાની સામે આવે એની રાહ જોવામાં આવી રહી છે.

છોડી શકે છે, સૌથી ટૂંકુ ફોર્મેટ

હવે તમને એમ પણ થતુ હશે કે કેવો મોટો નિર્ણય હશે અને શાની વાત હશે. તો એ પણ બતાવી દઈએ. રોહિત શર્મા ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટને લઈ નિર્ણય કરી શકે છે. તે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટને અલવિદા કહી શકે છે. રિપોર્ટ મુજબ રોહિત શર્માએ ભારતીય ક્રિકેટ ટીમના પસંદગીકારોને એ વાત બતાવી દીધી છે કે, તેઓ T20 ક્રિકેટ ટીમ માટે તેનાથી આગળ વિચારી શકે છે. તેના બદલે તેઓ નવા અને યુવા ખેલાડીઓને મોકો આપી શકે છે અને તેમને અજમાવવા માટે તેને આ ફોર્મેટથી દૂર રાખી શકે છે. આમ કરવાથી તેને કોઈ જ પરેશાની નથી.


Related Posts

Load more